Friday, August 10, 2012

શ્રદ્ધા દ્વારા સફળતા

 મોટાભાગના તબક્કે આપણે પોતાના વ્યક્તિત્વને બીજા દ્વારા સંચાલિત કરીએ છીએહોવું તો એ જોઈએ કે આપણે પોતાના વ્યક્તિત્વ ઉપર શ્રદ્ધા રાખવી જોઈએકોઈપણ કામ કરો આ વાત ઉપર વધુ ધ્યાન ન આપો કે લોકો આપણા વિશે શું વિચારતા હશેબીજાની ટીકા ટિપ્પણીઓથી જવાબ આપણે સંચાલિત થવા લાગીએ છીએ તો એક મોટું નુકસાન એ પણ થાય છે કે આપણો આત્મવિશ્વાસ ડગમગવા લાગે છે.
આપણે પોતાના વ્યક્તિત્વ ઉપર જેટલા વધુ શ્રદ્ધા રાખીશું આપણી અંદર એક નવી યોગ્યતાનો જન્મ થશે અને તે છે સારી અને ખરાબ પરિસ્થિતિઓમાં જીવવાનો નિર્ણય આપણે પોતે લઈશુંજીવન બગીચા અને જંગલ બંનેની જેમ જીવવું પડે છે.
                 બગીચામાં ઝાડ-ફૂલ વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવે છેમાળી તેની બરાબર દેખભાળ કરે છેબગીચામાં બધા સુરક્ષિત હોય છેસજાવટ હોય છેત્યાં ખીલેલા ફૂલ માત્ર આકર્ષિત કરે છે પણ મનને પણ મોહી લે છેઆપણુ જીવન આ રીતે બગીચાની જેમ જ હોય છેપરંતુ જીવનનો એક પક્ષ જંગલ માફક પણ હોવો જોઈએપ્રકૃત્તિનું આ રૂપ વનમાં પણ જોવા મળે છેપરંતુ ત્યાં એક સ્વાભાવિકતા હોય છેજંગલનું રૂપ અણધડ અને અછૂતું હોય છે.
                 કોઈ માલિક કે માળીને તેની ઉપર પોતાનું નિયંત્રણ નથી કરેલ હોતુંત્યાં સંઘર્ષ હોય છેપણ સૌંદર્ય પણ હોય છેઆપણું વ્યક્તિત્વ ત્યાં જંગલની જેમ હોય છે તો તેની અભિવ્યક્તિ તદ્દન અલગ રહેતી હોય છેએટલા માટે જૂના સમયમાં વનવાસનું પણ એક મહત્વ હતુંજીવનને વન અને બાગ બંનેમાંથી પસાર કરવું જોઈએસુવિધા અને સંઘર્ષ બંને પોત-પોતાની શીખ આપીને જાય છેજેટલા આપણે વ્યક્તિત્વ ઉપર શ્રદ્ધાવાન થઈશું આપણે એ પરિસ્થિતિઓથી પરિચિત થઈ જઈશુંપોતાના વ્યક્તિત્વ ઉપર પાછા ફરવા માટે એક સરળ માધ્યમ છેજીવનમાં સંત્સંગની તકને બનાવી રાખો..

No comments:

Post a Comment

free click here