Friday, August 10, 2012

રાલ્ફ વાલ્ડો એમર્સન

રાલ્ફ વાલ્ડો એમર્સન અમેરિકાભરમાં એક ચિંતક, કવિ, લેખક અને નિબંધકાર તરીકે પ્રસિદ્ધ હતા. પોતાના પિતાનો એમણે આ સાહિત્યિક વારસો ભેટમાં મળ્યો હતો.

એક વખત આ પિતા-પુત્ર સાહિત્ય સર્જનમાં મશગુલ હતા ત્યારે એમની ગૌશાળામાંથી એક વાછરડું દોરડું તોડીને બહાર ભાગી નીકળ્યું. પિતા અને પુત્ર બંને પોતાનું કામ પડતું મુકીને બહાર દોડ્યા. બંનેએ એ વાછરડાને પકડ્યું. એને ગૌશાળામાં પાછું લઇ જવાની કોશિશ કરવા લાગ્યા, પરંતુ વાછરડું એવું અડીયલ કે એક ડગલું પણ આગળ ચાલે નહિ.

આખા દિવસ દરમિયાન આપણે કેટલા બધા કાર્યો અટોપતા હોઈએ છીએ! એમાં કોઈ નાનું કામ હોય ને કોઈ મોટું, કોઈ મહત્વનું હોય ને કોઈ તાકીદનું. કોઈ પણ પ્રકારનું કામ હોય. એ કરવાની યુક્તિ કે તરકીબ જણાવી ખુબજ જરૂરી છે.

એ સાચું છે કે સખત પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી, પરંતુ કાળી મજુરી કે અંધાળો પરિશ્રમ જ કરવાથી કશું વળતું નથી. કોઈ પણ કામ સૂઝ અને અનુભવ માંગે છે. ફક્ત પરિશ્રમ કરવો પુરતો નથી. સાથે કાર્ય કુશળતા અને વ્યવહારુ જ્ઞાનની પણ એટલીજ જરૂર પડે છે.

No comments:

Post a Comment

free click here