Friday, August 10, 2012

વાસ્તવિકતા સ્વીકારો અને આત્મવિશ્વાસ વધારો

ઓલિવર ક્રોમવેલ પોતાના અભૂતપૂર્વ સાહસ અને બહાદુરી માટે વિખ્યાત હતો. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલીથી ભરેલી હોય, તો પણ તેઓ તેની સાથે લડવા માટે હંમેશા તૈયાર રહેતા હતા. આને લીધે આખા યુરોપિય સમાજમાં તેમને લોકો માનથી જોતાં અને મળવા માટે લોકો દૂર દૂરથી આવતા હતા. માતાઓ પણ બાળકોને ઓલિવરની બહાદુરીના પ્રસંગો સંભળાવી તેમના જેવા બનવાની પ્રેરણા આપતી હતી. એક દિવસ ઓલિવરની બહાદુરીથી પ્રભાવિત થઈને એક ચિત્રકાર તેમની પાસે આવ્યો અને તેમનું ચિત્ર બનાવવાની ઈચ્છા પ્રગટ કરી.

    ઓલિવરે તેને પોતાનું ચિત્ર બનાવવાની રજા આપી. ચિત્રકાર ઘણો રાજી થયો. પરંતુ એક મુશ્કેલી તેને તેમાં દેખાઈ. ઓલિવર ઘણો સાહસિક અને બહાદુર હતો સાથે એટલો કુરૂપ પણ દેખાતો હતો.  તેના ચહેરા પર એક મોટો મસો હતો. જેને લીધે તે ઘણો ખરાબ દેખાતો હતો. ચિત્રકારે ઓલિવરના ચિત્રમાં મસાને ન દોર્યો. જેને લીધે ચિત્ર ઘણું સુંદર બન્યું. ચિત્રકાર જ્યારે ઓલિવર પાસે આ ચિત્ર લઈને પહોંચ્યો ત્યારે ઓલિવરે તેને કહ્યુ કે, તમારી કલાકૃતિ ઘણી સુંદર છે, પરંતુ આ ચિત્ર મારું નથી.

   ચિત્રકાર તેમનો ઈશારો સમજી ગયો. પછી તે મસા સાથેનું ઓલિવરનું ચિત્ર બનાવીને લાવ્યો. જેને જોઈને ઓલિવર ઘણો રાજી થયો અને કહ્યું કે, હા, આ ચિત્ર મારું છે. એટલે કે પોતાની શારીરિક અને માનસિક નબળાઈઓનો સ્વીકાર કરવાની તાકાત માણસની અંદર એવો આત્મવિશ્વાસ જગાવે છે કે, જે તેને તેની નબળાઈઓ હોવા છતાં પણ સફળ બનાવે છે.

glucose :-
- વાસ્તવિકતા સ્વીકારવાની તાકાત રાખો, ,,   તે તમારી અંદરના આત્મવિશ્વાસમાં વધારો કરે છે.

No comments:

Post a Comment

free click here