Monday, January 14, 2013

માઈન્ડ પાવર



તમે જેવું વિચારસો તેવુ તમારા જીવનમાં બનશે .

                         ઉદાહરણ તરીકે નાનું બાળક સાયકલ શીખતું હોય  ત્યારે તમે એમ કહેશો કે જો સામે ઝાડ છે તેને સાયકલ અથડાવતો નહિ તો શું થશે ખબર છે? તેની સાયકલ તે ઝાડ સાથે જ અથડાશે કારણ કે તમે તેના માઈન્ડ માં વિચાર મુક્યો માટે એટલેકે તમે જેવું વિચારો છો તેવું તમારા જીવનમાં બનશે એટલે હમેશા પોઝેટીવ વિચારો તેટલું પોઝેટીવ બનશે જેમાં કે તમે કોઈ નવું કાર્ય કરવા જઈ રહ્યા છો અને તે કાર્ય વિશે જે પણ વિચાર વિશે તે પ્રમાણે તે કાર્ય નું પરિણામ આવશે જેમકે તમે શરૂઆતમાં તેના વિશે નેગેટીવ વિચારેલ હશે તો તેકાર્ય નું પરિણામ સારું નહિજ આવે ,પણ તેના વિશે પોઝેટીવ વિચારેલ હશે તો તેનું પરિણામ સારુજ આવશે ,આવું  કદાચ તમારા જીવન માં બનેલું હશે જરા શાંતિથી વિચારજો કોઈ પણ કાર્ય શરુ કરતા પૂર્વે તમારા માઈન્ડ માં અસંખ્ય વિચારો આવશે તેમાં નેગેટીવ અને પોઝેટીવ જે વિચારો તમારા પર હાવી થશે તે પ્રમાણે તમારા કાર્ય નું પરિણામ મળશે તેથી તો હમેશા પોઝેટીવ વિચારો ,એવું કેટલી વખત બનેછે તમે લાખ પ્રયત્ન કરો છતાં તમારા ઉપર નેગેટીવ વિચાર હાવી થયા વગર રહેતા નથી ,આનું કારણ શુંછે? આવું કેમ બનેછે ? જરા વિચારો આનું કારણ તમારા જીવન માં બનેલી ઘટના જેના દ્વારા તમે ચોક્કસ માન્યતામાં માનવા લાગો છો ઉદાહરણ તરીકે જોઈ એ કે નાનપણ માં વડીલો દ્વરા તમને કહેલા શબ્દ જેમકે તારા થી  આ કામ નહિ થાય ,તારામાં બુધિ છેજ નહિ ,તારા કામમાં ભલીવાર હોયજ નહિ .તુંતો ડફોળ છે , વગેરે વગેરે જે વાક્યો નાનપણ માં મળેલા છે ,અને સતત સાંભળતા આવ્યા છો જે સમય જતા માન્યતામાં બધાઈ જાય છે ,અને તમે પણ તેવું વિચારતા થાવ છો ,અને આવક્યો હકીકત માં તેવાજ પરિણામ આપવા લાગેછે .આમાંથી બહાર કેવીરીતે નીકળાય ?

તમારી જાતને ચાહો

પહેલા સૌ પ્રથમ તમારી જાતને ચાહતા શીખો તમારી જાતમાં વિશ્વાસ રાખો તમારાથી ક્યારે કોઈ ભૂલ થાય ત્યારે તમારી જાતને દોશી ના ગણો તમારાથી થયેલ ભૂલ નો ભાર લઈ તામાંરીજાતને તેના ભાર નીચે ના દબાવો ,ભૂલ તો દરેક વક્તીથી થાય છે ,મતલબ જે કામ કરે છે તેનાથી ભૂલ થવાની સમભાવના રહેવાનીજ ભૂલમાંથીજ કઈક નવું શીખવા મળશે ,જયારે તમારાથી કયારે ભૂલ થાય ત્યારે તે ભૂલ ને ભૂલી નવા જોસ સાથે આગળ વધવુ.....

1 comment:

  1. બધો વખત પોઝીટીવ વિચાર ના આવે પણ તેનું પ્રધાન્ય રહે તો પણ જરૂર ફાયદો થાય છે.

    ReplyDelete

free click here